બનાસકાંઠામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો, આકાશમાં વાદળો ગોરંભાતા ગરમીમાં રાહત
પાલનપુરઃ બંગાળના સમુદ્રમાં ચક્રવાતને લીધે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં આજે ગરૂવારે વહેલી સવારથી આકાશ વાદળછાંયુ બનતા લોકોએ અસહ્ય ગરમીમાં રાહત મેળવી હતી. જો કે હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ બફારાનો અહેસાસ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ગુરૂવારે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જેથી લોકોને […]