અમદાવાદમાં ચાર રસ્તાઓ પર ભીક્ષુકો અને ચીજ-વસ્તુઓ વેચતા ફેરિયાઓને હટાવાશે
અમદાવાદઃ સુરતની જેમ હવે અમદાવાદને પણ ભિક્ષુકમુક્તસિટી બનાવાશે. શહેર પોલીસે પણ ટ્રાફિક જંક્શન પરથી ભિક્ષુક અને જુદી જુદી વસ્તુઓ વેચતા ફેરિયાઓને હટાવવાનો નિર્ણય લીધો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટુક સમયમાં જુદા જુદા વિસ્તારના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ બાબતે બેઠક યોજશે અને આ નિર્ણયને કઈ રીતે અમલમાં મૂકવા તે બાબતે ચર્ચા કરશે. […]