1. Home
  2. Tag "Diwali festivals"

અમદાવાદ ST ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારોમાં 1000 એક્સ્ટ્રા બસો દોડાવાશે

STની એકસ્ટ્રા બસો તારીખ 26થી લાભપાંચમ સુધી દોડશે એકસ્ટ્રા બસોમાં પ્રવાસીઓ પાસેથી સવાગણું ભાડું લેવાશે, ગાંધીનગરથી 20 એક્સ્ટ્રા બસો દોડાવાશે અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ એસટી ડિવિઝન દ્વારા પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે તારીખ 26મીથી લાભપાંચમ સુધી 1000થી વધુ ટ્રીપો દોડાવાશે. એસ ટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસોના સંચાલનમાં મુસાફરો […]

આ વર્ષે 31મી ઓક્ટોબરના રોજ દિવાળીની કરાશે ઉજવણી, જાણો દિવાળીના તહેવારોની તીથી

દિવાળનો તહેવાર અંધકાર પર વિજયનો તહેવાર છે અને ભારતના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. દિવાળીનો તહેવાર ધાર્મિક અને સામાજિક સીમાઓને ઓળંગે છે અને અંધકાર પર પ્રકાશની શક્તિ, અનિષ્ટ પર સારાની જીત અને અજ્ઞાન પર જ્ઞાનની જીતની ઉજવણી કરાય છે. ચાલો જાણીએ આ વર્ષે દિવાળી ક્યારે છે? શુભ સમયથી લઈને ધાર્મિક વિધિઓ, તારીખો અને ઘણું બધું… […]

સુરતમાં દિવાળીના તહેવારોમાં મહિલાઓ અને બાળકો સિટીબસ, BRTSમાં મફત પ્રવાસ કરી શકશે

સુરતઃ શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકો  મ્યુનિ,સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે. દિવાળીના તહેવારોમાં લોકો એકબીજાના પરિવારના ઘરે અવર-જવર કરતા હોય છે. એવી સ્થિતિમાં મહિલાઓ અને બાળકો પણ પોતાના ગંતવ્ય સ્થળ ઉપર જઈ શકે તેના માટે મ્યુનિ. દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું […]

અમદાવાદમાં દિવાળીના તહેવારો પહેલા જ બજારોમાં ખરીદી માટે જામી ભીડ, વેપારીઓમાં ખૂશી

અમદાવાદઃ પ્રકાશનું પ્રવ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં આવેલી બજારો, તેમજ સીજી રોડ તેમજ શોપિંગ મોલમાં પણ ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. આમ માર્કેટમાં ચોતરફ ખરીદીની મોસમ જામી પડી છે. હાલ માર્કેટમાં નવી માગ નીકળી છે અને એટલે જ વેપારીઓ પણ ખુશખુશાલ છે. […]

અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં કાંકરિયા લેક પ્રવાસીઓનું બન્યું આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદઃ ગુજરાતમાં પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ તહેવારોમાં પ્રવાસન સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. અમદાવાદમાં જોવાલાયક સ્થળો પૈકીના એક એવા કાંકરિયા લેકફ્રન્ટની 3 દિવસ દરમિયાન 1.25 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. એટલું જ નહીં પ્રાણી સંગ્રહાલયમાં 75 હજારથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. કોરોના મહામારીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code