1. Home
  2. Tag "Diwali festivities"

દિવાળીના તહેવારોને લીધે પ્રવાસન ઉદ્યોગમાં તેજી, ફ્લાઈટ્સના ભાડામાં થયો વધારો

ગુજરાતી પ્રવાસીઓમાં કેરળ અને કાશ્મીર હોટ ફેવરિટ, વિદેશમાં ફરવા જવા માટે પણ પ્રવાસીઓમાં થયો વધારો, ટૂર-ટ્રાવેલ્સના ભાડામાં પણ વધારો અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે દિવાળીની રજાઓમાં પરિવાર સાથે ફરવા જવા  ઘણાબધા લોકોએ બુકિંગ કરાવી દીધા છે. દેશમાં ગુજરાતીઓ હરવા-ફરવાના સૌથી વધુ શોખીન ગણાય છે. દર વખતની જેમ આ વખતે ઘણા […]

દિવાળીના તહેવારોમાં સુરતથી STની એક્સ્ટ્રા બસો દોડાવાશે

રત્ન કલાકારો અને આદિવાસી શ્રમજીવીઓ માટે વિશેષ આયોજન, ગૃપ બુકિંગમાં સુરતમાં પોતાના ઘરથી ગામ સુધીનો લાભ અપાશે, 2200 એક્સ્ટ્રા બસો દોડાવાશે સુરતઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી) દ્વારા તહેવારો દરમિયાન પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવતી હોય છે. ત્યારે આગામી દિવાળીના તહેવારોમાં પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે એસટી દ્વારા […]

તહેવારોમાં ઠંડી વધશે, અમદાવાદમાં લધુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીએ પહોંચવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે-ધીમે શિયાળાનો પ્રારંભ થઈ રહ્યો છે. દરમિયાન આગામી શનિવારથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ પહોંચવાની શકયતા છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શકયતા નહિવત છે તથા વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાન યથાવત રહેશે. હાલમાં રાત્રે 20 ડિગ્રી, જ્યારે કે દિવસે 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન […]

ગાંધીનગરમાં દિવાળીના તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

ગાંધીનગરઃ દિવાળીના તહેવારોમાં આગ કે અકસ્માતના બનાવ ન બને તેમજ વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લામાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી માત્ર 2 કલાક માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાયના સમયમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટેટ દ્વારા જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે […]

દિવાળીના તહેવારો દરમિયાન અંબાજી મંદિરને 96 લાખનું દાન મળ્યું

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દિવાળીના તહેવારો અને ત્યારબાદ લાભ પાંચમ સુધી  દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. તેમાં દિવાળીના તહેવારોમાં શ્રદ્ધાળુંઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા મંદિરને મોટી આવક થઈ હતી. દિવાળીના દિવસથી સતત લાભ પાંચમ સુધી વિદ્યાર્થીઓ સાથે વેપારીઓ પણ મીની વેકેશન માણ્યુ હોય તેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code