રાજકોટના 14 જળાશયોમાં નવા નીરની આવક, ભાદર ડેમ-2 છલકાયો, આજી-2ના બે દરવાજા ખોલાયા
રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક વરસાદને લીધે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેમાં રાજકોટ જિલ્લાના 14 ડેમમાં નવા નીર આવ્યા છે. ધોરાજી પાસેનો ભાદર-2 ડેમ છલોછલ ભરાઈ ગયો છે. હવે ડેમ વિસ્તારમાં વરસાદ પડશે તો ડેમના દરવાજા ખોલવામાં આવશે, નદીકાંઠાના નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આજી-2 ડેમના 2 દરવાજા 0.15 મીટર […]