1. Home
  2. Tag "Porbandar"

પોરબંદરથી 50 કિમી દુર મધ્ય દરિયે બોટમાં લાગી આગ, કોસ્ટગાર્ડે 7 માછીમારોને બચાવ્યા

પોરબંદરઃ શહેરના  દરિયાકાંઠેથી  50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટ જય ભોલેમાં આગ લાગી હોવાની જાણ ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોને થતાં રેસ્ક્યુ ઓપરેશન કરીને તમામ 7 માછીમારોને બચાવી લીધા હતા. સવારે 9.45 કલાક આસપાસ કોસ્ટગાર્ડને જય ભોલે બોટમાં આગ લાગવાનું ડિસ્ટ્રેસ એલર્ટ પ્રાપ્ત થયું હતું. આ બોટ પોરબંદરના દરિયાકાંઠાથી 50 કિલોમીટર દૂર હતી. સૂત્રોના જણાવ્યા […]

પોરબંદરમાં સ્વિમિંગ કોમ્પિટિશન, તરવૈયાઓ દરિયામાં 5થી 10 કિ.મી તરીને પોતાનું કૌશલ્ય દાખવશે

પોરબંદર: દેશના યુવાઓમાં સાહસ અને શોર્યનો સંચાર કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ શનિવારથી કરાયો છે. બે દિવસીય સ્પર્ધામાં  દેશભરના 900થી વધુ સ્પર્ધકોએ પોતાનુ તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે. જેમાં પેરા સ્વીમર એટલે કે દિવ્યાંગ સ્પર્ધકોએ પણ દરિયા સાથે બાથ ભીડી પોતાના મજબૂત મનોબળનો […]

શિયાળાની ગુલાબી ઠંડી સાથે જ પોરબંદરના પક્ષી અભ્યારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન

પોરબંદરઃ શિયાળાની ગુલાબી ઠંડીના આગમન સાથે જ જિલ્લાના પક્ષી અભયારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. અને અભ્યારણ્ય પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠ્યુ છે. અહી 150 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયા છે. પોરબંદરના હૃદયસમા વિસ્તારમાં આવેલું પક્ષી અભ્યારણ્ય પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર  બન્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદરની મધ્યે આવેલા પક્ષી અભ્યારણ્ય 9.33 હેક્ટરમાં ફેલાયેલું […]

પોરબંદરઃ ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળના જહાજો મુલાકાતીઓ માટે ખુલ્લા મુકાયાં

અમદાવાદઃ પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે મુલાકાતીઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ જહાજો ખુલ્લા મુકવામાં આવ્યા છે. ઉપરાંત, પોરબંદર ખાતેના કાર્યક્રમમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા ‘ઓપરેશન્સ ડેમો’નો સમાવેશ કરાયો છે. પોરબંદર ખાતેના આ કાર્યક્રમની મહાનુભાવો તથા જાહેર નાગરિકો દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. આ પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓને, ખાસ કરીને સ્થાનિક […]

પોરબંદરમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલા શિક્ષા અધિકાર સંમેલનમાં ભાજપ સરકાર સામે કરાયા પ્રહારો

પોરબંદરઃ શહેરમાં કોંગ્રેસના ઉપક્રમે શિક્ષા અધિકાર સંમેલન યોજાયુ હતું. જેમાં ભાજપની સરકારમાં શિક્ષણનું ખાનગીકરણ, આડેધડ ઉધરાવાતી ફી, વગેરે પ્રશ્નોને ઉજાગર કરીને ભાજપ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. પોરબંદરમાં ગુજરાત કોગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે ગુજરાત એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં શિક્ષા અધિકાર સંમેલન યોજાયું હતું.  જેમાં મોઢવાડિયાએ […]

મહાત્મા ગાંધીજીએ દુનિયાને સત્ય -અહિંસાનો રાહ ચીંધ્યો છે, તે કાયમ પ્રેરણાસ્ત્રોત રહેશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રવિવારે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાસુમન અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી. મુખ્યમંત્રીએ ગાંધીજીના જીવન કવનને યાદ કરતાં જણાવ્યું હતું કે પૂજય બાપુએ દુનિયાને સત્ય અને અહિંસાનો રાહ ચીંધ્યો છે. મહાત્મા ગાંધીજી સમગ્ર દુનિયા માટે પ્રેરણાસ્રોત રહ્યા છે અને યુગો સુધી […]

પોરબંદરમાં તિરંગા યાત્રા દરમિયાન મુખ્યમંત્રીના કાફલામાં બે આખલા ઘૂંસી જતા દોડધામ મચી ગઈ

પોરબંદર : રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેમાં ચોમાસા દરમિયાન તો જાહેર રોડ પર ઢોર અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળતા હોય છે. શનિવારે ઉત્તર ગુજરાતના કડી શહેરમાં તિરંગા યાત્રા દરમિયાન રખડતી ગાયે પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અડફેટે લીધા હતા, જેમાં તેઓ ઘાયલ થયા હતા. ત્યારે ત્યારબાદ પોરબંદરમાં […]

મધદરિયે પોરબંદરના જમના સાગર વહાણે લીધી જળસમાધી, નવ ક્રુ મેમ્બરને બચાવી લેવાયા

પોરબંદરઃ અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણને કારણે કરંન્ટ જોવા મળી રહ્યો છે. ત્યારે એક 500 ટનનું વહાણ દુબઈથી ટાયર ભરીને ઈરાન ખાતે માલસામાન ઉતારી પોરબંદર પરત ફરતું હતું ત્યારે ઊંચા મોજા ઉછળતા મોજાના પાણી વહાણમાં ભરાઈ ગયાં હતાં. જેથી આ વહાણે જળસમાધિ લઈ લીધી હતી. આ બનાવમાં એક ક્રૂ મેમ્બર દરિયામાં ગરકાવ થઈ ગયો હતો […]

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ પોરબંદરમાં લમ્પી વાયરસના આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી

કોરોનાની વચ્ચે લમ્પી વાયરસનો કહેર  કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ  પોરબંદરની લીધી મુલાકાત લમ્પી વાયરસના આઇસોલેશન વોર્ડની મુલાકાત લેતા મંત્રી  લમ્પી વાયરસની પરિસ્થિતિની મેળવી માહિતી   રાજકોટ :સોરાષ્ટ્રભરમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે.આ વાયરસના કારણે અનેક પશુઓના મોત થયા છે.ત્યારે હાલ સરકાર દ્વારા પશુઓને વેક્સિનેશન આપવાની કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા આજે […]

પોરબંદરમાં ભારતીય કોસ્ટ ગાર્ડે અદ્યતન લાઇટ હેલિકોપ્ટર MK III સ્ક્વૉડ્રન તૈનાત કર્યું

અમદાવાદઃ ઉત્તર પશ્ચિમ તટરક્ષક દળ પ્રદેશને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા એક મોટા પગલાંરૂપે  પોરબંદરમાં ICG એર એન્કલેવ ખાતે ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક ડાયરેક્ટર જનરલ વી.એસ. પઠાનિયા, PTM, TM દ્વારા અદ્યતન લાઇટ હેલિકોપ્ટર (ALH) MK III સ્ક્વૉડ્રન તૈનાત કરવામાં આવી છે. આ સ્ક્વૉડ્રનની નિયુક્તિ સર્ચ એન્ડ રેસ્ક્યૂ (SAR) તેમજ સમુદ્રી દેખરેખના ક્ષેત્રમાં સરકારની “આત્મનિર્ભર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code