ગુજરાતમાં આજથી ગરમીમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો થશે, 4થી જુનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે
અમદાવાદઃ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થશે. અને આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા રાજ્યના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાંયું રહેવાની પણ શક્યતા છે. દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં જુનના પ્રથમ સપ્તાહથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જશે. તેના લીધે દક્ષિણ […]