વાવાઝોડાના કારણે વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે બાર્બાડોસમાં ફસાઈ
મુંબઈઃ T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ હરિકેન બેરીલ નામના વાવાઝોડાના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા સોમવારે બાર્બાડોસથી ન્યૂયોર્ક પહોંચવાની હતી અને પછી ભારત જવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે આવું થઈ શક્યું નહીં. આજે રાત્રે બાર્બાડોસમાં હરિકેન બેરીલ અસરકારક રહેશે, જેના કારણે ત્યાંનું એરપોર્ટ પણ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.’ […]