ભારતે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના પીઓકે પરના નિવેદનની ટીકા કરી

નવી દિલ્હી, 24 જૂન 2026: Criticized the statement on PoK પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની પરિસ્થિતિ અંગે કરેલી ટિપ્પણીની ભારતે આકરી ટીકા કરી છે. ભારતે જણાવ્યું હતું કે આ ટિપ્પણીઓ પાકિસ્તાનની નિષ્ફળતાઓને ઢાંકવાનો અને માનવાધિકાર ઉલ્લંઘનો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં […]

રાષ્ટ્રની પ્રગતિ માટે સામૂહિક સમર્પણ જરૂરી છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 24 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર રાષ્ટ્રની સમૃદ્ધિ અને વિકાસને લઈને એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તેમણે કહ્યું કે સામૂહિક સમર્પણ અને પુરુષાર્થથી રાષ્ટ્રની સમૃદ્ધિ અકબંધ રહે છે અને આ જ ભાવના સમાજને નવી ઉર્જા પ્રદાન કરી વિકાસના સંકલ્પોને સિદ્ધિ સુધી પહોંચાડવાનો માર્ગ પ્રશસ્ત કરે છે. પ્રધાનમંત્રીએ […]

બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની PM મોદી સાથે મુલાકાત

નવી દિલ્હી, 24 જૂન 2026: નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ (BRICS) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) બેઠકના બે દિવસીય કાર્યક્રમ બાદ બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતા કહ્યું કે તેઓ આ તમામ સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ અધિકારીઓને મળીને […]

અમદાવાદના રખિયાલમાં કારચાલકને ખેંચ આવતા 5 વાહનોને અડફેટે લીધા, યુવતીનું મોત

અમદાવાદ, 23 જુન, 2026 : Car driver hits 5 vehicles શહેરના રખિયાલ વિસ્તારમાં અજિત મિલ બ્રિજથી ગરીબનગર તરફ આવતા રોડ પર ગત રાત્રે હેરિયરકારે 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. હેરિયરકારના ચાલકને અચાનક આંચકી (ખેંચ) આવતા બેકાબૂ બનેલી કારે 5 વાહનોને અડફેટે લઈને રોડ સાઈડ પર આવેલી હોટેલના ટેબલ-ખુરશીને પણ ઉડાવ્યાં હતાં. આ અકસ્માતના બનાવમાં […]

બલિદાન દિવસ પર PM મોદી સહિતના મહાનુભાવોએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ પાઠવી

નવી દિલ્હી, 23 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સંસ્કૃત સુભાષિત શેર કરી. આ સાથે, તેમણે ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ પણ આપી. પીએમ મોદીએ ‘X’ પોસ્ટમાં લખ્યું, “દેશના મહાન વ્યક્તિત્વ, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીજી, જેમણે પોતાનું જીવન રાષ્ટ્ર અને સમાજની સેવામાં નિઃસ્વાર્થપણે […]

રાજ્યભરમાં કાલથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, 28.58 લાખ બાળકોને પ્રવેશ અપાશે

ગાંધીનગર, 22 જુન, 2026 : School entrance festival begins across the state from tomorrow વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવેલા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ૨૪મી કડી મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તા. ૨૩ જૂન, મંગળવારથી ૨૫ જૂન, ગુરૂવાર સુધી યોજાશે. શાળા પ્રવેશોત્સવના પ્રણેતા અને દેશના વર્તમાન વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પોતાના વતન વડનગરની જે […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તડામાર તૈયારીઓ

અમદાવાદ, 22 જુન, 2026 : Preparations for Lord Jagannath’s Rath Yatra શહેરમાં અષાઢી બીજના દિને પરંપરાગત યોજાતી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્રણેય પવિત્ર રથો—નંદીઘોષ, તાલધ્વજ અને પદ્મધ્વજને નવો ઓપ આપવાનું કામ ધોરણે ચાલી રહ્યું છે. રથના પૈડાંથી લઈને તેના શિખર સુધી કલરકામ અને મજબૂતીની ચકાસણી કરવામાં આવી રહી છે. ભગવાનના પોશાક અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code