1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 137 જેટલાં કાયદાઓ અને જોગવાઈના અમલ માટે સરકારે બહાર પાડ્યો વટહુક્મ
ગુજરાતમાં 137 જેટલાં કાયદાઓ અને જોગવાઈના અમલ માટે સરકારે બહાર પાડ્યો વટહુક્મ

ગુજરાતમાં 137 જેટલાં કાયદાઓ અને જોગવાઈના અમલ માટે સરકારે બહાર પાડ્યો વટહુક્મ

0
Social Share

ગાંધીનગરઃ 1લી જુલાઇથી સમગ્ર દેશમાં IPC, CrpC અને પુરાવા અધિનિયમ સંબંધિત સંસદ દ્વારા નવા કાયદા બનાવી નવીન જોગવાઇઓ લાગુ કરવામાં આવી છે. જેના સંદર્ભે રાજ્યપાલના વટહુકમ દ્વારા આ જોગવાઇઓ સંબંધે ગુજરાત રાજ્યના કાયદાઓમાં સંબંધિત સુધારા કરી તેને લાગુ કરનારૂ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ,

રાજ્ય સરકારના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ દ્વારા તમામ વહીવટી વિભાગોને સંબંધિત આવા કાયદાઓની જોગવાઇઓ ગુજરાત રાજ્યના કાયદાઓમાં ઓળખી તેને એકત્રિત કરવા સુચના આપવામાં આવી હતી. જે મુજબા અત્યારસુધીમાં રાજ્યમાં 137  જેટલા કાયદાઓમાં ઉપરના કાયદાઓની વિવિધ જોગવાઇઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

રાજ્યના જુના કાયદાઓમાં સંસદ દ્વારા નવા લાગુ કરાયેલા કાયદાઓની જે કલમોનો ઉલ્લેખ હશે તે નવા કાયદાના નામ અને જોગવાઇ સાથે ગુજરાતના કાયદાઓમાં ફેરફાર કરાયા હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, IPC (ભારતીય દંડ સંહિતા)  હવે ભારતીય ન્યાય સંહિતા, 2023  CrpC ( ક્રિમિનલ પ્રોસિજર કોડ) હવે,  ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 અને India Evidence Act ( ભારતીય પુરાવા અધિનિયમ ) હવેથી ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 2023 ના સ્વરૂપમાં બનાવવામાં આવ્યો છે તેથી અગાઉના IPC, CrpC અને Evidence Act ના નામ અને કેટલીક જોગવાઇઓ રદ્દ કરવામા આવી છે. આમ, રાજ્યના કાયદાઓમાંથી આ કાયદાઓના નામ જ નહીં પરંતુ તે કાયદાઓની કેટલીક કલમો પણ રદ્દ કરવામાં આવી છે અને તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code