1. Home
  2. ગુજરાતી
  3. બાસમતી ચોખાના લઘુત્તમ ભાવ સરકારે હટાવ્યા
બાસમતી ચોખાના લઘુત્તમ ભાવ સરકારે  હટાવ્યા

બાસમતી ચોખાના લઘુત્તમ ભાવ સરકારે હટાવ્યા

0
Social Share

નવી દિલ્હીઃ ભારતના અગ્રણી GI વેરાયટીના ચોખા, બાસમતી ચોખાની નિકાસને વેગ આપવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, ભારત સરકારે બાસમતી ચોખાની નિકાસ પરના ફ્લોર પ્રાઈસને દૂર કરવાનો નિર્ણય લીધો છે.

હાલની વેપારી ચિંતાઓ અને ચોખાની પર્યાપ્ત સ્થાનિક ઉપલબ્ધતાના જવાબમાં, ભારત સરકારે હવે બાસમતી ચોખાની નિકાસ પરના લઘુત્તમ ભાવને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લીધો છે. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) બાસમતી ચોખાના કોઈપણ બિન-વાસ્તવિક ભાવને રોકવા અને નિકાસ પ્રથાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે નિકાસ કરાર પર નજીકથી નજર રાખશે.

પૃષ્ઠભૂમિ તરીકે, ચોખાના ચુસ્ત સ્થાનિક પુરવઠાની પરિસ્થિતિને પગલે સ્થાનિક ચોખાના ભાવમાં વધારો થવાના પ્રતિભાવરૂપે બિન-બાસમતી સફેદ ચોખા પર નિકાસ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને બિન-બાસમતી ચોખાને બાસમતી ચોખા તરીકે ખોટી રીતે વર્ગીકૃત કરવાની કોઈ પણ સંભાવિત શક્યતાને રોકવા માટે ઓગસ્ટ 2023માં મેટ્રિક ટન (MT) દીઠ 1,200 ડોલરની ફ્લોર પ્રાઇસ રજૂ કરવામાં આવી હતી. વેપારી સંસ્થાઓ અને હિતધારકોની રજૂઆતોને પગલે, સરકારે ઓક્ટોબર, 2023માં લઘુત્તમ ભાવને 950 ડોલર પ્રતિ મેટ્રિક ટન કર્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code