Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટમાં હાથસર દૂર્ઘટના કેસની સુનાવણી 12મી જુલાઈએ હાથ ધરાશે

Social Share

નવી દિલ્હીઃ હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે 12 જુલાઈએ સુનાવણી હાથ ધરાય તેવી શકયતા છે. CJI DY ચંદ્રચુડે કહ્યું કે તેમણે આ કેસની યાદી બનાવવા માટે સૂચના આપી છે.

ઉત્તર પ્રદેશના હાથરસમાં 2 જુલાઈના રોજ ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 121 લોકોના મોત થયા છે. યુપીની યોગી સરકારે આ મામલાની તપાસ માટે SITની રચના કરી છે. હાથરસ નાસભાગ કેસની તપાસ માટે રચાયેલી SITએ પણ પોતાનો રિપોર્ટ યોગી સરકારને સોંપી દીધો છે.

આ મામલામાં એસઆઈટીએ હાથરસના ડીએમ આશિષ કુમાર અને એસપી નિપુન અગ્રવાલ અને સત્સંગની પરવાનગી આપનાર એસડીએમ અને સીઓના નિવેદન પણ નોંધ્યા છે. આ ઉપરાંત સત્સંગમાં ફરજ પરના પોલીસકર્મીઓ સહિત અનેક લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અહેવાલમાં સત્સંગનું આયોજન કરતી સમિતિએ પરવાનગી કરતાં વધુ લોકોને બોલાવવા, પૂરતી વ્યવસ્થા ન કરવી તેમજ પરવાનગી આપવા છતાં અધિકારીઓ દ્વારા સ્થળનું નિરીક્ષણ ન કરવું વગેરે ઘટનાની જવાબદારી સત્સંગનું આયોજન કરતી સમિતિ પર ઠરાવવામાં આવી છે.

એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, નાસભાગ પાછળ કોઈ ષડયંત્રની શક્યતા નકારી શકાય નહીં. આ મામલે ઉંડાણપૂર્વકની તપાસની જરૂર છે. આયોજકોની બેદરકારીના કારણે આ અકસ્માત થયો છે. સ્થાનિક પોલીસ અને વહીવટી અધિકારીઓએ ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી, વરિષ્ઠ અધિકારીઓને પણ તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી ન હતી.

2 જુલાઈના રોજ, હાથરસના ભાગદોડ અંગે સ્થાનિક સિકંદરરાવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. જોકે, આમાં ભોલે બાબાનું નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યું નથી. નાસભાગની ઘટના બાદ ભોલે બાબા ફરાર છે. તેમનું છેલ્લું લોકેશન મૈનપુરી આશ્રમમાં મળ્યું હતું. આ પછી તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો છે. હાલમાં જ ભોલે બાબાએ એક નિવેદન જારી કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આ દુર્ઘટનાના દોષિતોને છોડવામાં આવશે નહીં.?