Site icon Revoi.in

દેવ ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના ગામોમાં પાણી ઘૂંસ્યા, રોડ પર પાણી ફરી વળ્યા

Social Share

વડોદરાઃ જિલ્લાના જળાશયોમાં ઉપરવાસના વરસાદને કારણે જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવકના કારણે ડેમ છલકાતા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ઢાઢર નદીમાં ફરી એકવાર પૂરની પરિસ્થતિ સર્જાઇ છે. કાંઠા વિસ્તારના 7 જેટલા ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો છે. ઢાઢર નદી તોફાને ચડતા જન જીવન પ્રભાવિત થયું છે. ઢાઢર નદીના પાણી કરાલીપુરા રોડ ઉપર ફરી વળતાં ડભોઇ-વાઘોડિયા રોડ બંધ થયો છે. ​​​​​​​વહેલી સવારે નોકરી તેમજ કોલેજ જતા સંખ્યાબંધ રાહદારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીના કિનારે આવેલા 16 ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. દેવ ડેમની જળ સપાટી હાલમાં 89.65 મીટર છે. જળાશયનું રૂલ લેવલ જાળવવા સવારે 10 કલાકે જળાશયના બે દરવાજા ગેટ નં. 4 અને 5 0.20 મીટર ખોલવામાં આવ્યા છે. આમ, ડેમમાં પાણીની આવક 1431.23 ક્યુસેક છે. પાણીનો ફ્લો 1364.57 ક્યુસેક રહેશે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે તાલુકા લાયઝન અધિકારીઓને સ્થિતિ પર નજર રાખી અગમચેતીના તમામ જરૂરી પગલાં લેવા પ્રાંત અધિકારી ડભોઈ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓએ સૂચના આપી છે. ડભોઇ નજીક ઢાઢર નદીમાં ફરી એકવાર પૂરની પરિસ્થતિ સર્જાઇ છે. ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી પાણી છોડાયું છે. ડભોઇનાં દંગીવાડા, કબિરપૂરા, નારણપુરા, બાંબોજ સહિત કરાલીપુરા ગામોના મુખ્ય માર્ગો ઉપર ગોઠણસમાં પાણી ભરાયા છે. સિઝનમાં ચોથી વખત ઢાઢર નદી તોફાને ચડી છે. 7 જેટલા ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો છે. ઢાઢર નદી ઉફાને ચડતા જન જીવન પ્રભાવિત થયું છે. ઢાઢર નદીના પાણી કરાલીપુરા રોડ ઉપર ફરી વળતાં ડભોઇ-વાઘોડિયા રોડ બંધ થયો છે. ​​​​​​​વહેલી સવારે નોકરી તેમજ કોલેજ જતા સંખ્યાબંધ રાહદારીઓ મૂંઝવણમાં મુકાયા છે.