ગુજરાતઃ ઈકો વિલેજ સુરતના ધજમાં સોલાર પેનલ-રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગી

રાજ્યના એક માત્ર ઈકો વિલેજ એવા સુરત જિલ્લામાં આવેલા માંડવીના ધજ ગામમાં વાંસ-લીપણમાંથી બનેલાં 60 ઘરોમાં સોલાર પેનલ-રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગી છે. જ્યાં ફોન નેટવર્ક કે ગૂગલ મેપ પણ પહોંચ્યા નથી, જેથી ગામમાં પર્યાવરણ અને પ્રગતિ વચ્ચે તાલમેલ જોવા મળે છે. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું ધજ ગામએ ગુજરાતનું પહેલું ઈકો વિલેજ છે. જ્યાં […]

ગુજરાત પંચાયતી વિકાસમાં મોખરે: PAI ઇન્ડેક્સમાં દેશમાં પ્રથમ ક્રમ

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશાં દેશના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ પર ભાર મૂક્યો છે. દેશના તમામ ગામડાંઓ સ્વચ્છ અને આધુનિક બને અને છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચે તે દિશામાં તેમના પ્રયાસો રહ્યા છે, જેની શરૂઆત તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરી હતી. મુખ્યમંત્રી તરીકેના નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતના ગામડાઓના વિકાસની યાત્રા શરૂ થઈ હતી અને […]

ગુજરાતમાં સાડા નવ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છેઃ રાજ્યપાલ

ગાંધીનગરના સરઢવમાં ગોગા મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો મહોત્સવ દરમિયાન યોજાયેલા કૃષિ સંમેલનમાં રાજ્યપાલે ખેડુતોને શીખ આપી રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો સમજાવ્યા ગાંધીનગરઃ જિલ્લાના સરઢવ ગામમાં નવનિર્મિત ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભારંભ બાદ આ પ્રસંગે યોજાયેલા કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો અને પશુપાલકોને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું […]

અમદાવાદ સહિત શહેરોમાં લાખો જૈનોએ એકસાથે નવકાર મંત્રનું પઠન કર્યું

અમદાવાદના જીઆઈડીસીના મેદાનમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો વડોદરા, સુરત, રાજકોટ, પાલીતાણા, ભાવનગર, બોટાદ સહિતના શહેરો કરાયું આયોજન વિશ્વ કલ્યાણ સંકલ્પને જન જન સુધી પહોંચાડવાનો ઉદેશ્ય અમદાવાદઃ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ તથા જૈન સમાજના ઉપક્રમે વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાના ઉદેશ્યથી આજે અમદાવાદ સહિત શહેરોમાં નવકાર મંત્ર પઠનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

UAE એ ભારતના સ્વદેશી આકાશ મિસાઇલમાં રસ દાખવ્યો

નવી દિલ્હીઃ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની સાથે, ભારત મિત્ર દેશોને શસ્ત્રો પૂરા પાડવાની દિશામાં એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. સંરક્ષણ સહયોગ ઉપરાંત, ભારતે ગલ્ફ દેશ UAE (સંયુક્ત આરબ અમીરાત) સાથે શસ્ત્રોના સંયુક્ત ઉત્પાદન માટે પણ સંમતિ દર્શાવી છે. આ મુસદ્દા પર UAE ના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન (દુબઈના ક્રાઉન પ્રિન્સ) શેખ […]

અમદાવાદમાં રબારી વસાહતોના 1100 માલધારી પરિવારોને મળશે ઘરનો કાયમી માલિકી હક્ક

રબારી સમાજની વર્ષો જૂની માંગણીને હકારાત્મક વાચા આપતા મુખ્યમંત્રી જંત્રીના 15 ટકા રકમ અને ટ્રાન્સફર ફી ભરીને કાયમી માલિકી હક્ક મેળવી શકાશે ફાળવાયેલી આ જમીનનો દસ વર્ષ સુધી રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરી શકાશે નહીં ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે […]

પીએમ મુદ્રા યોજનાઃ 5 વર્ષમાં ગુજરાતમાં રૂ.70 હજાર કરોડની લોન અપાઈ

ગાંધીનગરઃ દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈપણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ‘પીએમ મુદ્રા યોજના’ જાહેર કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ નાના વેપારીઓ, નવા સ્ટાર્ટઅપ્સ અને દેશના યુવાનોને તેમના વ્યવસાય માટે લોન પૂરી પાડવાનો છે. ગુજરાતમાં આ યોજનાની વ્યાપકપણે અમલવારી કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code