ભારતમાં IT ક્ષેત્ર માં 4.5 લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન

નવી દિલ્હીઃ 2025ના પહેલા છ મહિનામાં ભારતના આઈટી ક્ષેત્રમાં ભરતી 7થી 10 ટકા વધી શકે છે. આ ઉપરાંત, આ ક્ષેત્ર આખા વર્ષમાં 4થી 4.5 લાખ નવી નોકરીઓનું સર્જન કરી શકે છે. શુક્રવારે ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ભારતના IT ક્ષેત્રમાં Q4FY25માં સ્થિરતા જોવા મળી હતી, જેમાં વાર્ષિક ધોરણે આવકમાં 1-3 ટકાનો વધારો […]

ગુજરાતમાં ઈલે. વાહનોના વેચાણમાં ઘટાડો થતાં સરકારે 5 ટકા ટેક્સ છૂટની જાહેરાત કરી

ઈલેક્ટ્રિક વાહનોને 31 માર્ચ 2026 સુધી 5 ટકા ટેક્સ છૂટનો લાભ મળશે હવે માત્ર એક ટકા ટેક્સ ભરવો પડશે વાહન 0 પોર્ટલ પ ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરી શકાશે ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારે ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારા લોકોને અપાતી સબસિડી બંધ કરતા ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઘટાડો થયો હતો. આથી ઓટો ડિલરોએ ઈલે. વાહનો પર સબસિડી આપવાની માગ […]

સીલમપુરમાં યુવકની હત્યા બાદ તણાવ, પીએમ મોદી અને સીએમ યોગી પાસે મદદ માંગી

ઉત્તર-પૂર્વ દિલ્હીના સીલમપુરમાં એક સગીર છોકરાની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવ્યા બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. પરિસ્થિતિ વધુ વણસી ન જાય તે માટે, દરેક ખૂણા પર સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. બીજી તરફ, મોડી રાતથી ગુસ્સે ભરાયેલા પરિવારના સભ્યો અને સ્થાનિક લોકોનો વિરોધ ચાલુ છે. વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકો આરોપીઓને મૃત્યુદંડની માંગ કરી રહ્યા છે. […]

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લવાયેલો રિઢો ચોર નાસી ગયો

શહેરના ઝોન-7 એલસીબીએ રિઢા ચોરને દબોચી લીધો હતો આરોપી 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે શહેરના વૃંદાવન બંગ્લોઝમાં 46 લાખની ચોરી કરી હતી અમદાવાદઃ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની ચોરીના કેસમાં ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે મહેસાણાથી અર્જુન રાજપૂત નામના આરોપીને રૂપિયા 27 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો, આ રિઢો […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વિસ્તરણની હિમાયત કરતા IGN પ્રમુખે કહ્યું- ભારત બેઠક માટે મુખ્ય દાવેદાર

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના વિસ્તરણનો મુદ્દો ફરી એકવાર ઉઠાવવામાં આવ્યો છે. UNSC સુધારાઓ પર આંતર-સરકારી વાટાઘાટો (IGN) ના અધ્યક્ષ તારિક અલ્બાનાઈએ જણાવ્યું હતું કે જો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ થાય છે, તો ભારત આ બેઠક માટે એક મુખ્ય દાવેદાર હશે. તેમણે કહ્યું કે રિફોર્મ કાઉન્સિલનું લક્ષ્ય પ્રતિનિધિત્વપૂર્ણ હોવું જોઈએ. આજે ભારત વૈશ્વિક […]

અમદાવાદના સ્મશાનગૃહમાં હવે QR કોડથી ફોર્મ ડાઉનલોડ કરવું પડશે

દરેક સ્મશાનગૃહમાં ક્યુઆર કોડ લગાવાયા ક્યુઆરલ કોડખી ફોર્મ ડાઉનલોડ કરીને વોર્ડ ઓફિસમાં જમા કરાવવાથી મરણ નોંધ થશે મ્યુનિની વોર્ડ ઓફિસમાં 21 દિવસમાં નોંધણી કરાવી શકાશે  અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.સંચાલિત તમામ સ્મશાનગૃહોમાં ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે. જેને સ્કેન કરવાથી ફોર્મ ડાઉનલોડ થશે. એમાં મરણ જનારની જરૂરી વિગતો ભરીને આધારકાર્ડ સહિતના પુરાવા સાથે જે તે વિસ્તારના મ્યુનિની […]

કર્ણાવતી ખાતે રા. સ્વ. સંઘ કાર્યાલય ખાતે સ્વ. શ્રી હરીશભાઈ નાયકની શ્રદ્ધાંજલી સભા યોજાઇ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક આદરણીય શ્રી હરીશભાઈ નાયક 13-04-2025ના રોજ સ્વર્ગવાસી થયા. તેમનું ધ્યેયનિષ્ઠ જીવન સૌ માટે પ્રેરક હતું. તેઓ ને શ્રદ્ધાંજલી અર્પિત કરવા માટે ગઇકાલે સાંજે સંઘ કાર્યાલય ડો. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે શ્રદ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સંઘ સ્વયંસેવકો, સામાજિક અગ્રણીઓ સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાંજલી સભા ઉપસ્થિત રહી દિવંગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code