Site icon Revoi.in

પાલનપુર-અમદાવાદ હાઇવે પર ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત, બેના મોત

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં અમદાવાદ-પાલનપુર હાઈવે પર ભડકાવાડાના પાટિયા પાસે ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલી ત્રિપલ અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે 4 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે,  પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર ભડકાવાડા પાટીયા પાસે ટેલર, ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં બે લોકોના મોત તેમજ ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભરકાવાડા પાટીયા પાસે ટેલર, ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે પૈકી બે લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. લોકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહોને પીએમ અર્થ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ અમીરગઢના વિરમપુર ડાભેલી અજાપુર પાટીયા પાસે છોટા હાથી અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકો દ્વારા ઘાયલ વ્યક્તિને સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે અમીરગઢ પોલીસ તત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.