Site icon Revoi.in

ઉદ્ધવ ઠાકરેની મહેનતનો ફાયદો શિવસેના કરતા સૌથી વધારે કોંગ્રેસ-NCP(SP)ને થયોઃ ભાજપા

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્ર ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે મંગળવારે મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એવું લાગે છે કે સાથી પક્ષો કોંગ્રેસ અને NCP(SP)ને વધારે ફાયદો થયો છે.

મહારાષ્ટ્રના વરિષ્ઠ મંત્રી પાટીલે અહીં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી નથી, પરંતુ તેમ છતાં તેમણે જોરશોરથી પ્રચાર કર્યો હતો. હું તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હતો. જો કે, પરિણામો દર્શાવે છે કે તેમના પ્રયાસોથી NCP(SP) અને કોંગ્રેસને સૌથી વધારે ફાયદો થયો હતો. ‘જ્યારે ઠાકરે ભાજપ સાથે હતા ત્યારે તેમની પાર્ટીએ 18 લોકસભા બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને NCPSP સાથે મળીને તેઓ માત્ર નવ બેઠકો જીતી શક્યા. તેઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ રાજ્યની 48 લોકસભા બેઠકોમાંથી 21 બેઠકો લડી હતી, પરંતુ માત્ર નવ જ જીતી હતી. જ્યારે કોંગ્રેસે 17 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 13 પર જીત મેળવી હતી. કોંગ્રેસના નેતા અને સાંગલી લોકસભા બેઠક પરથી બળવાખોર ઉમેદવાર પણ જીત્યા અને બાદમાં પાર્ટીને સમર્થન આપ્યું. NCP (શરદચંદ્ર પવાર)એ 10 બેઠકો પર ચૂંટણી લડી અને આઠ બેઠકો જીતી. ઠાકરે પર કટાક્ષ કરતા પાટીલે કહ્યું કે, ‘લઘુમતી મતોના કારણે ઠાકરેને જીતનો ટેગ તો મળ્યો છે. મનસેના એક નેતાનું કહેવું છે કે ઉદ્ધવની જીતનો રંગ કેસરી નહીં પણ લીલો છે.