Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ ગેરકાયદે ધાર્મિક સ્થળની દિવાલ તોડી પડાતા તંગદીલી ફેલાઈ

Social Share

લખનૌઃ યુપીના બરેલીમાં એક વિવાદિત ધાર્મિક સ્થળને તોડી પાડવાને લઈને હંગામો થયો હતો, ત્યારબાદ બે સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને તરફથી ભારે પથ્થરો થતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવને પગલે ભાજપના ધારાસભ્ય તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, તેમજ નારાજગી વ્યક્ત કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના ધારાસભ્યએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પોલીસની આશ્રય હેઠળ ગેરકાયદેસર મસ્જિદ બનાવવામાં આવી રહી છે.

બરેલીના ક્યોલાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના કેલાદંડી ગામમાં વિવાદિત સ્થળની હિન્દુ સમુદાયના લોકોએ દિવાલ તોડી નાખી હતી. જે બાદ બંને પક્ષના લોકો વચ્ચે તકરાર થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક રૂમ બનાવીને મસ્જિદમાં ફેરવવામાં આવી હતી, જેમાં લોકો નમાઝ પઢવા લાગ્યા હતા. હિન્દુ સમુદાયે આનો વિરોધ કર્યો અને પોલીસ પ્રશાસનને ફરિયાદ કરી હતી. 

નવાબગંજના એસડીએમ અજય કુમાર ઉપાધ્યાયે વિવાદિત સ્થળને તાળું માર્યું અને બે હોમગાર્ડ તૈનાત કર્યા હતા. પરંતુ, શુક્રવારે બળજબરીથી તાળા તોડીને ત્યાં શુક્રવારની નમાજ અદા કરવામાં આવી હતી. જેના પગલે હિન્દુઓમાં રોષ ફેલાયો હતો તેમજ વિવાદિત સ્થળની દિવાલ તોડી નાખી હતી. જે બાદ પરિસ્થિતિ વણસી હતી. તેમજ બંને તરફથી ભારે પથ્થરમારો થયો હતો. ઘટનાની જાણ થતાં જ એસડીએમ નવાબગંજ અજય કુમાર ઉપાધ્યાય અને સીઓ હર્ષ મોદી ક્યોલડિયા પોલીસ સ્ટેશન, નવાબગંજ પોલીસ સ્ટેશન અને હાફિઝગંજ પોલીસ સ્ટેશનની પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે વિવાદિત સ્થળની દિવાલ તોડનારા 10 લોકોની ધરપકડ કરી હતી અને વિવાદિત સ્થળની તૂટેલી દિવાલનું સમારકામ શરૂ કર્યું હતું. નવાબગંજના બીજેપી ધારાસભ્ય સાંસદ આર્ય ઘટના સ્થળે પહોંચ્યા અને પ્રશાસનના વિરોધમાં ધરણા પર બેઠા હતા.

આ દરમિયાન ભાજપના ધારાસભ્યએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા અને કહ્યું કે પોલીસની મદદથી ગેરકાયદે મસ્જિદ બનાવવામાં આવી રહી છે. જેના કારણે ગ્રામજનો આ એકતરફી વલણથી નારાજ છે.