1. Home
  2. ગુજરાતી
  3. હિઝબુલ્લાહના આતંકીઓ આધુનિક ટેકનોલોજીને બદલે કેમ વાપરતા હતા પેજર, જાણો…
હિઝબુલ્લાહના આતંકીઓ આધુનિક ટેકનોલોજીને બદલે કેમ વાપરતા હતા પેજર, જાણો…

હિઝબુલ્લાહના આતંકીઓ આધુનિક ટેકનોલોજીને બદલે કેમ વાપરતા હતા પેજર, જાણો…

0
Social Share

નવી દિલ્હીઃ લેબનાનમાં થયેલા પેજર બ્લાસ્ટને પગલે દુનિયાભરની સુરક્ષા એજન્સીઓને વિચારતા કરી દીધા છે. ત્યારે સવાલ એ થાય કે, લેબનાનમાં હિઝબુલ્લાહના આતંકવાદીઓ આજના આધુનિક જમાનામાં મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાને બદલે પેજનો કેમ ઉપયોગ કરતા હતા. જાણકારોના મતે, લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહ લાંબા સમયથી તેની સૈન્ય વ્યૂહરચના તરીકે ગુપ્તતાનો ઉપયોગ કરી રહ્યું છે. આ વ્યૂહરચના હેઠળ, હિઝબુલ્લાહ લોકો ઇઝરાયેલ અને અમેરિકન જાસૂસી સોફ્ટવેર દ્વારા હેકિંગથી બચવા માટે હાઇ-ટેક સાધનોનો ઉપયોગ કરતા નથી. હિઝબોલ્લાહના સભ્યો આંતરિક સંચાર નેટવર્ક દ્વારા એકબીજા સાથે વાતચીત કરે છે.

આ વર્ષની શરૂઆતમાં, હિઝબુલ્લાહે દક્ષિણ લેબનોનમાં તેના સભ્યો અને તેમના પરિવારોને તેમના મોબાઇલ ફોન બંધ કરવા કહ્યું હતું. દક્ષિણ લેબનોનમાં જ સરહદ પાર ઈઝરાયલી દળો સાથે લડાઈ ચાલી રહી છે. હિઝબોલ્લાહનું માનવું હતું કે ઈઝરાયેલ તે ઉપકરણો દ્વારા તેના નેટવર્કની ગતિવિધિઓ પર નજર રાખી શકે છે. “ફોન બંધ કરો, તેને દાટી દો, તેને લોખંડના બોક્સમાં મૂકો અને તેને લોક કરો,” તેમ ફેબ્રુઆરી મહિનામાં હિઝબુલ્લાના એક નેતાએ જણાવ્યું હતું. તમારા અને તમારી પત્ની અને તમારા બાળકોના હાથમાં રહેલો સેલ ફોન ખૂની છે.’

ભૂતપૂર્વ ઇઝરાયેલી ગુપ્તચર અધિકારી અવી મેલામેડના જણાવ્યા અનુસાર, પેજરે હિઝબુલ્લાના સભ્યોને તે ફોન લાઇન દ્વારા એકબીજાનો સંપર્ક કરવાની મંજૂરી આપી હતી. પરંતુ આ વિકલ્પ પણ જોખમથી મુક્ત ન હતો. મેલામેડે જણાવ્યું હતું કે, હિઝબોલ્લાહ આ ઉપકરણોનો ઉપયોગ કરવા માટે પાછો ફર્યો કારણ કે તેને લાગ્યું કે તે ફોન કરતાં તેના લડવૈયાઓ માટે વધુ સુરક્ષિત રહેશે, જેને જીપીએસ દ્વારા નિશાન બનાવી શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code