એવું માનવામાં આવે છે કે દશેરાના દિવસે પાન ખાવાથી લોકો અધર્મ પર ધર્મની જીતની ખુશી વ્યક્ત કરે છે. દશેરાના દિવસે બજરંગબલીને પાનનું બીડું ચઢાવવાની અને પાન ખાવાની પરંપરા છે. પાનને વિજયનું સૂચક અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. ભારતના દરેક તહેવારની કોઈને કોઈ પરંપરા હોય છે, જેમ કે દિવાળી પર દીવા પ્રગટાવવા, હોળી પર રંગો, લોહરી પર અગ્નિ પાસે નૃત્ય. તેવી જ રીતે દશેરાના દિવસે પાન ખાવાનું પણ વિશેષ મહત્ત્વ છે. પાન ખાવું એ સમૃદ્ધિની નિશાની માનવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં, તમામ પૂજા અને કથાઓ સહિત તમામ શુભ કાર્યોમાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી નવરાત્રી દરમિયાન દેવી માતાને પાન અને સોપારી અર્પણ કરવામાં આવે છે. દશેરા પર પાન ખાવાનું એક કારણ એ છે કે, આ સમયે હવામાન બદલાવા લાગે છે, જે ચેપી રોગોનું જોખમ વધારે છે અને રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે.
પાન ખાવાનું સારુ માનવામાં આવે છે કારણ કે, નવરાત્રીના 9 દિવસ ઉપવાસ કર્યા પછી ખાવાનું ખાવામાં આવે છે, જેના કારણે પાચન શક્તિ પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં પાન ખાવાથી પાચન પ્રક્રિયા સામાન્ય થઈ જાય છે અને પાન ખાવાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. સાથે જ પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે તૈયાર કરવામાં આવી છે, તેના પર કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.