ભારતમાં બાઇક એક્સીડન્ટમાં દર વર્ષે 75,000 થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે

ભારતમાં લોકો માટે બાઇક એ સૌથી સામાન્ય મુસાફરીનું માધ્યમ છે. ગીચ ટ્રાફિકમાં બાઇક માત્ર સુવિધાજનક નથી, પરંતુ તે સમયની પણ બચત કરે છે. પરંતુ બેદરકારી, વધુ ઝડપ અને નિયમોની અજ્ઞાનતાના કારણે બાઇક અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. દર વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે, જેમાં મોટી સંખ્યામાં ટુ-વ્હીલર ચાલકો હોય છે. માર્ગ […]

ગુજરાતમાં હવે ફરીવાર 29મી માર્ચથી વાતાવરણમાં પલટો આવશે, માવઠાની શક્યતા

ઉનાળાના પ્રારંભે તાપમાન ઉચકાયા બાદ બેવાર વાતાવરણમાં પલટો આવ્યો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે તા. 29મીથી 1લી એપ્રીલ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે હાલ બેવડી ઋતુને કારણે રાતે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. એકાએક તાપમાનમાં વધારો થતાં લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બે વાર […]

ઝાકિર નાઈકને હોસ્ટ કરવા બદલ ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી

ભારતે ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પ્રત્યે પાકિસ્તાનના નરમ વલણ અને આતિથ્ય પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે વોન્ટેડ વ્યક્તિનું સમર્થન બધું જ કહે છે. તેણે એ પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે વોન્ટેડ વ્યક્તિને હોસ્ટ કરવી, તેને આશ્રય આપવો, પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ કરે છે, ખાસ કરીને જ્યારે આવી […]

ભારતના વિકાસદરમાં 100 ટકા વૃદ્ધિએ દુનિયાને ચોંકાવ્યાં, અમિત માલવીયાએ કર્યો દાવો

નવી દિલ્હીઃ ભારતે છેલ્લા દાયકામાં પોતાની અર્થવ્યવસ્થા બમણી કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. IMFના તાજેતરના ડેટા અનુસાર, 2015માં ભારતનો GDP 2.1 ટ્રિલિયન ડોલર હતો, જે 2025 સુધીમાં વધીને 4.3 ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે. આ 105 % નો વિકાસ દર દર્શાવે છે, જે અમેરિકા (66 %) અને ચીન (76 %) જેવા વૈશ્વિક દિગ્ગજો કરતા […]

બિહાર સ્થાપના દિવસ: પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ બિહારના લોકોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ‘બિહાર દિવસ’ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિના કેન્દ્ર એવા રાજ્યના સર્વાંગી વિકાસ માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ બિહારને નાયકો અને મહાન વ્યક્તિત્વોની પવિત્ર ભૂમિ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, “વીર […]

ગુજરાતમાં 2900 ગામમાં ઘન કચરાનું ડોર ટૂ ડોર એકત્રીકરણ કરી નિકાલ કરાશે

ગાંધીનગરઃ 10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામ સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવીને માળખાકીય સુવિધા વિકસાવાશે. વિધાનસભામાં પંચાયત રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે નગરપાલિકાની નજીકના વિસ્તારમાં આવતા રાજયના કુલ 2 હજાર 900 ગામોમાં ઘન કચરાનું ડોર ટૂ ડોર એકત્રીકરણ કરી નિકાલ કરાશે. અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલ 3 હજાર 189 ગ્રામ પંચાયત ઘર પૈકી, 2 […]

ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 23000 લોકોએ પાસપોર્ટ સરન્ડર કરી ભારતીય નાગરિકતા છોડી

વર્ષ 2023ની તુલનાએ 2024માં દેશની નાગરિકતા છોડનારાઓમાં ઘટાડો દેશની નાગરિકતા છોડવામાં ગુજરાત ત્રીજાક્રમે વિદેશમાં સારીરીતે સેટલ થતાં લોકો ભારતની નાગરિકતા છોડી રહ્યા છે અમદાવાદઃ ગુજરાતમાં અનેક યુવાનો અમેરિકા, કેનેડા, જર્મની, ઓસ્ટેલિયા, યુકે સહિત વિવિધ દેશોમાં અભ્યાસ માટે જઈને ત્યાજ નોકરી મેળવીને સ્થાયી થઈ રહ્યા છે. તદઉપરાંત અન્ય લોકોને ગ્રીનકાર્ડ કે પીઆર મળે એટલે નોકરી-ધંધામાં વિદેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code