ગુજરાત સહિત 5રાજ્યમાં અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે પ્રોજેક્ટ્સને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટેની યોજના હેઠળ પાંચ રાજ્યો માટે એક હજાર 604 કરોડથી વધુ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ રાજ્યોમાં ગુજરાત સહિત બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કેરળ નો સમાવેશ છે. સમિતિએ ઓક્ટોબર 2023 દરમિયાન સિક્કિમમાં વિનાશક ગ્લેશિયર તળાવ ફાટવા અને પૂરને […]

ગુજરાતઃ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજયમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે,જેમાં આવતીકાલથી તાપમાનમાં વધારો થવાની […]

ગુજરાતમાં એસ.ટી. બસના ભાડામાં 10 ટકાનો વધારો કરાયો

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ- GSRTC દ્વારા એસ. ટી. બસના ભાડામાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે. આ ભાવ વધારો આજથી અમલી બન્યો છે. સત્તાવાર યાદી મુજબ, લોકલ સર્વિસના ભાડામાં ચાર રૂપિયા સુધીનો વધારો કરાયો છે. હાલમાં લોકલ સર્વિસમાં 85 ટકા એટલે કે, 10 લાખ જેટલા મુસાફરો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. […]

ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં ભારતે લગભગ 15 ટન રાહત સામગ્રી મોકલી

નવી દિલ્હીઃ ભારતે ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં લગભગ 15 ટન રાહત સામગ્રી મોકલી છે. આ સહાય હિંડન એરફોર્સ સ્ટેશનથી ભારતીય હવાઈદળના C-130J વિમાન દ્વારા પહોંચાડવામાં આવી હતી. જેમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, ખોરાક અને જનરેટર સેટનો સમાવેશ થાય છે. આપત્તિગ્રસ્ત લોકોને મદદ માટે પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, સિરીંજ, મોજા અને પાટો જેવા તબીબી પુરવઠા પણ મોકલવામાં આવી રહ્યા છે.દરમિયાન […]

દેશમાં સૌથી વધારે અમીર ગુજરાતમાં, 108 અરબપતિઓ

ઝડપથી વિકસતા અર્થતંત્રની ગતિને કારણે સમગ્ર વિશ્વમાં અમીર લોકોની સંખ્યા વધી રહી છે. ભારતમાં રહેતા ધનિક લોકોની સંખ્યા ઓછી નથી. અહીં પણ આ લોકોના નામ યાદીમાં ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 10-11 વર્ષમાં અબજોપતિઓની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે. હાલમાં ભારતમાં લગભગ 191 અબજોપતિ છે. અબજોપતિઓની યાદીમાં ભારત ત્રીજા સ્થાને છે. પણ શું તમે […]

અમદાવાદના ચાંદખેડામાં AMTS બસ સાથે પૂર ઝડપે કાર અથડાતા એકનું મોત

બસ સ્ટેન્ડ પાસે કાર ઊબી હતી ત્યારે પાછળથી કાર ધડાકા સાથે અથડાઈ કારમાં ફસાયેલા બે વ્યક્તિને બહાર કાઢવા કટર સાથે ફાયરના જવાનો દોડી આવ્યા કાર એટલી સ્પીડમાં હતી કે ઊભેલી બસને 10 ફુટ ધકેલી દીધી અમદાવાદઃ શહેરમાં પૂરફાટ ઝડપે દોડાવાતા વાહનોને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ચાંદખેડા વિસ્તારમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો […]

રાષ્ટ્રીય સલામતી માટે જોખમ ઊભું કરનારાઓને ભારતમાં પ્રવેશ નહીં આપવામાં આવેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને ભારતમાં પ્રવેશવા આપવામાં આવશે નહીં.લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક-2025 પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે ભારતમાં અશાંતિ ફેલાવવા બદલ રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજી મુજબ દેશમાં રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code