ગુજરાતમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ થયો

ગાંધીનગરઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ વેળાએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ 3.36 લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ 1.18 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય […]

ભારતમાં પહેલીવાર ખાદી અને ગ્રામોદ્યોગનો વ્યવસાય 1.70 લાખ કરોડ રૂપિયાને પાર

નવી દિલ્હીઃ દેશના ખાદી અને ગ્રામોદ્યોગે નાણાકીય વર્ષ 2024-25માં ઉત્પાદન, વેચાણ અને રોજગાર સર્જનનો નવો રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા 11 વર્ષમાં વેચાણમાં 447 ટકા, ઉત્પાદનમાં 347 ટકા અને રોજગાર સર્જનમાં 49.23 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, નાણાકીય વર્ષ 2023-24માં 2013-14 ની સરખામણીમાં વેચાણમાં 399.69% અને ઉત્પાદનમાં 314.79% નો વધારો થયો હતો. KVICના ચેરમેન […]

ગુજરાતમાં 10મીથી 13મી મે સુધી બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરાશે

11 જિલ્લાનો 35 હજાર ચો.કિમી. વિસ્તાર ‘સાંકળી લેવાશે સિંહની ઉંમર, ઓળખ ચિન્હો, GPS લોકેશન વગેરે વિગતો નોંધવામાં આવશે વન વિભાગના અધિકારીઓ સહિત 3 હજાર તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે ગાંધીનગરઃ  સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન […]

વિદેશી ધરતી પર દેશનું અપમાન કરવું એ રાહુલ ગાંધીની જૂની આદતઃ ભાજપા

નવી દિલ્હીઃ અમેરિકાના બોસ્ટનમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન અને નેશનલ હેરાલ્ડ કેસમાં તેમની સંડોવણી અંગે ભાજપ આક્રમક છે. હકીકતમાં, રાહુલ ગાંધીએ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન ભારતીય ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ અંગે સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, ‘વિદેશની ધરતી પર દેશનું અપમાન કરવું એ રાહુલ ગાંધીની જૂની આદત […]

અમદાવાદમાં બોપલ, ઘૂમા સહિતના વિસ્તારોમાં 2000 સીસીટીવી કેમેરા લગાવાશે

એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ 25 કરોડ મંજુર કર્યા લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવાનો લેવાયો નિર્ણય મહત્વના જંકશનો પર પણ હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાશે અમદાવાદઃ શહેરના બોપલ, ઘુમા સહિતના વિસ્તારમાં તેમજ શહેરના અન્ય ક્રોસરોડ પર 2000 જેટલા સીસીટીવી કેમેરા લગાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય કર્યો છે. મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે રૂપિયા 25 કરોડ મંજુર […]

ભારતની સંરક્ષણ નિકાસ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચશેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ 2030 સુધીમાં 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. તેઓ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ચેમ્બર ઓફ મરાઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર – CMIA ના ‘મરાઠવાડા – આત્મનિર્ભર ભારતની સંરક્ષણ ભૂમિ’ વિષય પર આયોજિત સંવાદ સત્રમાં સંબોધન કરી રહ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર […]

ભારતમાં IT ક્ષેત્ર માં 4.5 લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન

નવી દિલ્હીઃ 2025ના પહેલા છ મહિનામાં ભારતના આઈટી ક્ષેત્રમાં ભરતી 7થી 10 ટકા વધી શકે છે. આ ઉપરાંત, આ ક્ષેત્ર આખા વર્ષમાં 4થી 4.5 લાખ નવી નોકરીઓનું સર્જન કરી શકે છે. શુક્રવારે ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ભારતના IT ક્ષેત્રમાં Q4FY25માં સ્થિરતા જોવા મળી હતી, જેમાં વાર્ષિક ધોરણે આવકમાં 1-3 ટકાનો વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code