1. Home
  2. ગુજરાતી
  3. એસિડિટીથી છુટકારો મેળવવા માટે દવાઓના બદલે તમે આ ખાસ પાણી પી શકો છો
એસિડિટીથી છુટકારો મેળવવા માટે દવાઓના બદલે તમે આ ખાસ પાણી પી શકો છો

એસિડિટીથી છુટકારો મેળવવા માટે દવાઓના બદલે તમે આ ખાસ પાણી પી શકો છો

0
Social Share

એસિડિટી એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે. આવી સ્થિતિમાં તમે દવાઓ લેવાને બદલે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો. એસિડિટીથી રાહત મેળવવા માટે તમે અજમો અને કાળા મીઠાનું પાણી પી શકો છો. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે.

અજમો અને મીઠાનું પાણી બનાવવા માટે એક વાસણમાં પાણી લો અને તેમાં અડધી ચમચી અજમો નાખીને ધીમી આંચ પર ગરમ થવા દો. અજમાનું પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી દો, તેને એક ગ્લાસમાં કાઢી લો અને તેમાં કાળું મીઠું નાખીને ચમચી વડે બરાબર મિક્ષ કરી લો. પાણી હૂંફાળું થાય એટલે તરત જ પી લો. જો કે આ પાણીનું સેવન તમે સવારે ખાલી પેટ કરી શકો છો. એસિડિટીની સ્થિતિમાં તમે તેને પી શકો છો. અજમો અને કાળું મીઠું બંને પાચન સુધારવામાં અને એસિડિટી દૂર કરવામાં મદદ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code